ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના ભાવિ અંગે અવારનવાર થતી અટકળોનો અંત આણતા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની અને હાલમાં આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પીઢ ક્રિકેટર તરીકે રમતાં મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટતા કરી હતી કે આ અંગેનો નિર્ણય તેનું શરીર આ સ્પર્ધાત્મક ક્રિકેટમાં કેટલી હદે ટકી શકે છે તેની ઉપર છે અને આ માટે મારી પાસે હજી દસ મહિના બાકી છે. આમ દસ મહિના બાદ હું આ નિવૃત્તિ અંગ
