અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.
