સમગ્ર રાજ્યમાં હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ તાપમાનનો પારો પણ ઉચકાઇ રહ્યો છે. આમ ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ બન્યા છે. સોમવારે અમદાવાદનું તાપમાન વધી 39.7 ડિગ્રી પર પહોંચી જતા લોકો ગરમી-બફારાથી અકળાઇ ઉઠ્યા હતા. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાઇ રહી છે, તે વાવાઝોડામાં પરાવર્તીત થાય તેવી શક્યતા છે. આ સિસ્ટમને કારણે રાજ્યના વિ
