કાળઝાળ ગરમી, પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના કારણે શહેરમાં કોલેરા, ઝાડાઊલટી, ટાઇફોઇડ અને કમળાનો રોગચાળો વકરી ગયો છે. તેમાંય જ્યાં અવારનવાર કોલેરાના કેસ નોંધાયા કરે છે તેવા વિસ્તારોમાં વધુ ૧૩ લોકો કોલેરાનો ભોગ બન્યાં હોવાનુ સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યુ છે.
