સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર આજે પણ યથાવત્ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાયા હતા. તેથી લોકોને અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, શુક્રવારે રાજ્યના વાતાવરણમાં પલટાના યોગ છે. શુક્રવારે પવન ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડાના ભાગો, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ,
