હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માગ સાથે અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માગ સ્વીકારવામાં ન આવતા રવિવારે સુરતમા
