આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત એક મહત્વપૂર્ણ અરજી પર પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિને નપુંસક કહેવું, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતો નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આરોપી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મૃતકના આત્મહત્યાના એક મહિના પહેલા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની વચ્ચે કોઈ સીધો સંપર્ક નહોતો.
