કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવની વચ્ચે ગુરુવારે લોકોને જરુરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા સંબંધિત અફવાઓ પર ધ્યાન નહીં આપવા વિનંતી કરી છે. આ સાથે ખાદ્યમંત્રીએ કહ્યું કે, દેશની પાસે તમામ જરુરી ચીજવસ્તુઓના પુરતાથી વધુ ભંડાર છે.
