RSSના વડા મોહન ભાગવતે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત અને સન્માનિત બન્યું છે અને તેની વિશ્વસનીયતા વધી છે, પરંતુ ભયાનક ષડયંત્રો દેશના સંકલ્પની કસોટી કરી રહ્યા છે. દેશને અશાંત અને અસ્થિર કરવાના પ્રયાસો ચારેય દિશામાંથી વેગ પકડી રહ્યા છે. બાંગ્લાદેશમાં ભારતને એક ખતરા તરીકે રજૂ કરવાનો દુષ્પ્રચાર થઈ રહ્યો છે. તેમણે હિન્દુઓને એકજૂથ થવાનો પણ સ
