અમરેલીમાં લેટરકાંડનો વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજની યુવતીની ગેરકાયદે ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢવાના વિરોધમાં શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે ગેખાવો યોજીવે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં પાટીદાર સમાજના નેતાઓ, સેનેટ સભ્યો અને હોદ્દેદારો જોડાયા હતા. આ ઘટનાની નિંદા કરીને નિર્દોષ દીકરીને ન્યાય આપવા માટે તાકીદે જવાબદાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી