સુરત: શહેરના સિંગણપોરના ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પહેલા પત્નીની ધારિયા વડે હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
