ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અંદાજ અપના અપનાની રી-રીલીઝ વિશે સત્તાવાર માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે, ફિલ્મના 31 વર્ષ પૂરા થવાના ખાસ અવસર પર મેકર્સ આ કોમેડી ફિલ્મને એપ્રિલ 2025માં સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો શું તમે આ ફિલ્મ જોવા જશો?
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શિવાંગી જોશી મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી હતી, જેની કેટલીક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. અભિનેત્રીએ સંગમમાં ડૂબકી લગાવી, આરતીમાં ભાગ લીધો હતો.