M.S. Dhoni: CSKના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2025ની પ્રથમ મેચ અગાઉ નિવૃત્તિની અટકળો અંગે મૌન તોડ્યું છે. તેણે કહ્યું છે કે, ‘હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી સીએસકે માટે રમી શકું છું. તે મારી જ ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઈશ, તો પણ તેઓ મને ખેંચીને લઇ આવશે.’
