કાશ્મીરના પહેલગાવમાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં પોલીસ અને જાસૂસી તંત્રને એલર્ટ મોડમાં છે બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓના ચોક્કસ ઇનપુટ બાદ એકાએક અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં દશકાઓથી બનેલી ગેરકાયદે વસાહતોમાં રહેતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, અસામાજિક તત્ત્વોને શોધીને એમના મકાનો, ફાર્મ હાઉસને તોડવાની કાર્યવાહીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. જોકે, આ કાર્યવાહી કેન્દ્રીય એજન્સીઓ
