જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત લગભગ 30 મિનિટ સુધી ચાલી. બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
