નર્મદા પરીક્રમા 29મી માર્ચથી શરૂ થઈ હતી, ત્યારથી લઈને 5મી એપ્રિલ સુધીમાં 1,13,232 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે.નાના બાળકોને પણ એમના માતા- પિતા પરિક્રમા કરાવવા માટે લાવે છે. 20થી 21 કિમીની આ પરીક્રમાના રૂટ પર તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
