અમદાવાદ શહેરના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીના માર્ગને આઇકોનિક બનાવ્યા બાદ, હવે મ્યુનિસિપલ સત્તાધીશોએ 350 કરોડના ખર્ચે શહેરના અન્ય 7 રસ્તાઓને પણ આઇકોનિક રીતે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની શક્યતા છે.
