આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોઈ પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
