નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડધારકોને એપ્રિલ માસના અંત સુધીમાં તેમના ઇ-કેવાયસી કરાવી લેવા માટે ફરી તાકીદ કરવામાં આવી છે. રેશનિંગના દુકાનદારોને ઇ-કેવાયસી થઇ શકે તે માટે ફરીથી મંજૂરી અપાઇ છે પરંતુ ટેકનિકલ ખામીના કારણે કામગીરી થઇ શકતી નહીં હોવાની બૂમ પડી છે.
