દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે ઠાકોરજીની શૃંગાર આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના શ્વેત (સફેદ) રંગના વાઘા સાથેના વસ્ત્રાલંકાર સાથેના આ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યા હતા.
