કાશ્મીરના પહેલગામ નજીક કાયર આતંકવાદીઓના ક્રૂર હુમલાની પીડાનો આઘાત બીજા દિવસે પણ શમ્યો નથી. પીડા, ગમગીની અને આક્રોશની લાગણી વચ્ચે પીડિત પરિવારોના આક્રંદના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નિર્દોષ નાગરિકોના જીવ લેનારા કટ્ટર કાયરોને કડક સજા અપાવવાની ભારતીયોની માગણીમાં અન્ય દેશોએ પણ સૂર પુરાવ્યો છે. પીડિત પરિવારોને સાંત્વના આપવાના શબ્દો ખૂટી પડ્યા છે ત્યારે આકરી કાર્યવાહીના આશ્વા