મહેસાણા: વિસનગરના તરભમાં આવેલા વાળીનાથ ધામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડનગર તાલુકાના જાસ્કા ગામના એક પુત્રીના માતા-પિતાએ બે પુત્રો માટે માનતા રાખી હતી. આ દંપતીને ત્યાં જોડિયા પુત્રોએ જન્મ લેતાં તેઓની માનતા પૂર્ણ થઈ હતી. ઉપરોક્ત દંપતીએ આજે શિવરાત્રિ પર્વના શુભ દિવસે પરિવાર સાથે વાળીનાથ ધામ પહોંચી જોડીયામાંથી એક પુત્રને અર્પણ કરાતા મંદિર જય વાળીનાથના નાદ ગુંજી ઉઠ્યું