વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારતીય શાંતિ રક્ષક દળો (IPKF)ના એપિસોડના આશરે ચાર દાયકા પછી ભારત અને શ્રીલંકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મોટો સુધારો થયો છે. બંને દેશોએ લશ્કરી સહકાર માટે એક મહત્ત્વના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે.
