સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન મોદીને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના આગામી આયોજનો તેમજ તેના માટે અબુ ધાબીના શાસકો તરફથી મળી રહેલી મદદ અને સહકાર અંગે વિગતવાર જાણકારી આપી હતી.
