કિંજલના મેરેજ વિશે અમે ક્યારેય વિચાર્યુ નહોતું. અમે માનતા હતા કે કોઈ છોકરો તેની સાથે લગ્ન માટે તૈયાર નહીં થાય. મેં તેને આજીવન સાથે રાખવાનું નક્કી કરી લીધેલું. આ વાત કિંજલે પણ સ્વીકારી લીધેલી, આમ છતાં તે ક્યારેક મને પૂછી બેસતી કે,'પપ્પા,શું મારા લગ્ન ખરેખર ક્યારેય નહીં થાય? 'અને હું કંઈ જવાબ આપી ન શકતો.' આ શબ્દો છે કિંજલના પિતા સંજીવ શાહના.