આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણને સોમવારે સાંજે તેમના નિવાસસ્થાને જાનથી મારી નાખવાની ધમકીનો ફોન આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, કલ્યાણના નિવાસસ્થાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ફોન કરનારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફોન કોલના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
