ભારતે અમેરિકા પાસે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. રાણાએ અમેરિકાની કોર્ટમાં પ્રત્યાર્પણ રોકવાની માંગ સાથે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી છે. જે બાદ રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારતે તેને લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. રાણા મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.
