પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે.'
