યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે.
