રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જાતિગત ભેદભાવનો અંત લાવવા માટે ‘એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન’ના સિદ્ધાંતને અપનાવીને સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા હાકલ કરી છે. સંઘના વડા અલીગઢના પાંચ દિવસના પ્રવાસે છે. સાસની ગેટ વિસ્તારમાં એચ બી ઇન્ટર કોલેજ અને પંચન નગરી પાર્ક ખાતે આયોજિત બે શાખાઓમાં સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે હિન્દુ સમાજના સભ્યોને સમાજમાં સકારાત્મક પરિવ







