ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય






